" પરાગરાજ ના ગણરાજા" દ્વારા ગણેશ ઉત્સવ વર્ષ -૨૦૧૮

"પરાગરાજ  ના ગણરાજા" ગણેશ ઉત્સવ વર્ષ -૨૦૧૮
શ્રી ચિંતામણ ગણેશજી, ઉજ્જૈન.



પરાગરાજ ના ગણરાજા આ આવર્ષે જે શ્રીજી ની સ્થાપના કરેલ છે એ મધ્યપ્રદેશ ની ધાર્મિક નગરી ઉજ્જૈન માં ગણેશજી નું એક સિદ્ધિ સ્થાન છે.જેને ચિંતામણ ગણેશજી ના નામથી ઓળખાય છે.

પ્રાચીનકાળ માં જયારે રામ ભગવાન નો વનવાસ ચાલતો હતો ત્યારે તે ઉજ્જૈન નગરી માં આવ્યા હતા. અને તેમને એક જમીન મેં દોષપુર્ણ લાગી તે માટે તેમને સ્વયંભૂ  ગણેશજી ની સ્થાપના કરી અને તે શ્રીજી ને ચિંતામણ ગણેશજી ના નામે ઓળખવામાં આવે છે.

આ મંદિર માં ગણેશજી ની ત્રણ મૂર્તિઓ એક સાથે સ્થાપીઠ છે સૌથી મોટી મૂર્તિ ને "શ્રી ચિંતામણ ગણેશજી" તેની પાસે સ્થાપિત " શ્રી ઇચ્છામન ગણેશજી  " અને ત્રીજી મૂર્તિ "શ્રી સિદ્ધિવિનાયક ગણેશજી" કહેવામાં આવે છે.

•     શ્રી ચિંતામણ ગણેશજી ભક્તો નું ચિંતા મુક્ત કરે છે..
•     શ્રી ઇચ્છામન ગણેશજી ભક્તો નું ઈચ્છા પુરી કરે છે..
•     શ્રી સિદ્ધિવિનાયક ગણેશજી ભક્તો સિદ્ધિ મેળવવાનું વરદાન આપે છે..

સમગ્ર વિશ્વમાં આ એક  માત્ર જ એવા શ્રીજી ની મંદિર છે જેમાં એક સાથે ત્રણ ગણેશજી ની પ્રતિમાઓ છે

શ્રી ચિંતામણ ગણેશજી ના પ્રાંગણ માં આજે પણ એ વાવ જોવા મળે છે જેનું નિર્માણ શ્રી લક્ષ્મણજી સીતામાતા  ની તરસ છીપ્પવવા તેમના બાણ થી બનાવી હતી તેને આજ ના સમયમાં લક્ષ્મણ બાવળી ના નામથી પણ ઓળખાય છે.



More Details  Please Visit Below Mentioned Link For
Go To Link

Comments

Popular posts from this blog

" પરાગરાજ ના ગણરાજા" દ્વારા ગણેશ ઉત્સવ વર્ષ -૨૦૧૯

" પરાગરાજ ના ગણરાજા" દ્વારા ગણેશ ઉત્સવ વર્ષ -૨૦૧૭